Natural Farming Cluster Subsidy 2026
Natural Farming Cluster Subsidy 2026 જીવામૃત બનાવવા અને સંગ્રહ કરવા માટે ટાંકી સહાય યોજના 2026
યોજનાનો સમયગાળો: 12/02/2026 થી 12/02/2026
લાભ ફક્ત: National Mission on Natural Farming હેઠળ આવતા ક્લસ્ટર માટે

📢 યોજનાનો હેતુ
પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને પ્રોત્સાહન આપવા અને જીવામૃતના ઉત્પાદન તથા સંગ્રહ માટે જરૂરી સુવિધા ઉભી કરવા રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
આ યોજના હેઠળ ટાંકી, ભોંયતળિયું અને અન્ય જરૂરી સાધનો માટે 50% સુધીની આર્થિક સહાય મળશે.
🔹 (૧) ગૌશાળા / સહકારી સંસ્થા / FPO / અન્ય સંસ્થા માટે સહાય
- ૧૦,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી HDPE / PVC ટાંકી
- પાકું ભોંયતળિયું – ૪૦૦ ચો. ફૂટ
- સ્ટરર
- પ્લાસ્ટિક કેરબા
- ડોલ ટોકર
- અન્ય આનુષાંગિક ખર્ચ
સહાય ધોરણ: કુલ ખર્ચના 50% મુજબ
મહત્તમ મર્યાદા: રૂ. 1,20,000/- લાખ
🔹 (૨) ખેડૂત ગૃપ / સખી મંડળ / વ્યક્તિગત ખેડૂત માટે સહાય
- ૫,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી HDPE / PVC ટાંકી
- પાકું ભોંયતળિયું – ૨૦૦ ચો. ફૂટ
- સ્ટરર
- પ્લાસ્ટિક કેરબા
- ડોલ ટોકર
- અન્ય આનુષાંગિક ખર્ચ
સહાય ધોરણ: કુલ ખર્ચના 50% મુજબ
મહત્તમ મર્યાદા: રૂ. 60,000/- હજાર
📌 મહત્વપૂર્ણ શરત
ઓછામાં ઓછું 7000 લીટર જીવામૃત બનાવા અથવા સંગ્રહ કરવા માટે
ઓછામાં ઓછી 7000 લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ફરજિયાત રહેશે.
ટાંકીના પ્રકાર:
- PVC / HDPE ટાંકી
- High Quality IBC Tank Barrel
- પાકા દિવાલ સાથેની ટાંકી
⚠️ ખાસ નોંધ
આ યોજનાનો લાભ ફક્ત National Mission on Natural Farming હેઠળ આવતા ક્લસ્ટરમાં જ મળવાપાત્ર છે.
ક્લસ્ટર બહારના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
📄 નિષ્કર્ષ
પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂત અને સંસ્થાઓ માટે જીવામૃત સંગ્રહ સુવિધા ઉભી કરવા આ યોજના મહત્વપૂર્ણ છે.
સરકાર તરફથી 50% સુધીની સહાય મળવાથી ખર્ચમાં ઘટાડો થશે અને કુદરતી ખેતીને વધુ પ્રોત્સાહન મળશે.
અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો
- અહિયાં ક્લિક કરો
- વધુ માહિતી માટે કૃષિપ્રગતિ જોતાં રહો.
❓ વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
પ્ર.1: આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
ગૌશાળા, સહકારી સંસ્થા, FPO, અન્ય સંસ્થા, ખેડૂત ગૃપ, સખી મંડળ અને વ્યક્તિગત ખેડૂત લાભ લઈ શકે છે.
પરંતુ લાભ ફક્ત National Mission on Natural Farming હેઠળના ક્લસ્ટરમાં જ મળશે.
પ્ર.2: સંસ્થા માટે મહત્તમ કેટલા રૂપિયા સહાય મળશે?
ગૌશાળા/સહકારી સંસ્થા/FPO માટે કુલ ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 1.20 લાખ સુધી સહાય મળશે.
પ્ર.3: વ્યક્તિગત ખેડૂત માટે સહાય કેટલી છે?
ખેડૂત ગૃપ/સખી મંડળ/વ્યક્તિગત ખેડૂતને કુલ ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 0.60 લાખ સુધી સહાય મળશે.
પ્ર.4: ટાંકીની ક્ષમતા કેટલી હોવી જોઈએ?
ઓછામાં ઓછું 7000 લીટર જીવામૃત બનાવવા અથવા સંગ્રહ કરવા માટે 7000 લીટર ક્ષમતા ધરાવતી ટાંકી ફરજિયાત રહેશે.
પ્ર.5: કયા પ્રકારની ટાંકી માન્ય રહેશે?
PVC/HDPE ટાંકી, High Quality IBC Tank Barrel અથવા પાકી દિવાલ સાથેની ટાંકી માન્ય રહેશે.
પ્ર.6: સહાય કેટલી ટકાની મળશે?
કુલ ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે.
પ્ર.7: શું ક્લસ્ટર બહારના ખેડૂત અરજી કરી શકે?
ના, આ યોજનાનો લાભ ફક્ત National Mission on Natural Farming હેઠળના ક્લસ્ટરમાં જ મળશે.