ઈ-પશુ હાટ : ભારતમાં ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પોર્ટલ
ભારત સરકારનો મુખ્ય હેતુ ખેડૂતો અને પશુપાલકોના દૈનિક જીવનમાં તેમની પ્રગતિ તથા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપી વધુ આવક મેળવવામાં સહાયરૂપ થવાનો છે. આ હેતુને ધ્યાનમાં રાખીને, ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર દ્વારા તાજેતરમાં “ઈ-પશુ હાટ” નામથી ભારતનું સૌ પ્રથમ લાઈવસ્ટોક (પશુધન) માટેનું ઓનલાઈન માર્કેટ વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
- આપોર્ટલનું ઉદ્ઘાટન શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ નિમિત્તે 26 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી રાધા મોહનસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
- ઈ-પશુ હાટ પોર્ટલ દ્વારાખેડૂતો અને પશુપાલકો ઘેર બેઠા પશુધન, ફ્રોઝન વીર્ય, ફ્રોઝન ગર્ભ વગેરે ખરીદી-વેચાણ કરી શકે છે. આ પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ છે કે એક રાજ્યનો ખેડૂત અન્ય રાજ્યમાંથી પણ સરળતાથી પશુધન મેળવી શકે છે.
- પોર્ટલનોસરનામું: https://epashuhaat.gov.in/
ઈ-પશુ હાટની જરૂરિયાત
- તાજેતરના સમયમાં ડેરી ઉત્પાદન ઘટતું ગયું છે. ઘણાં ખેડૂતોનેપર્યાપ્ત પશુધન ન મળવાથી દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે. આ પરિસ્થિતિમાં, કેન્દ્ર સરકારએ સમગ્ર દેશમાં ખેડૂતો માટે એક એવો પ્લેટફોર્મ બનાવ્યો જ્યાં તેઓ પોતાનું પશુધન વેપાર કરી શકે. આ પોર્ટલ દ્વારા ગર્ભ, વીર્ય તેમજ અન્ય સુવિધાઓ માટે પણ વેપાર કરી શકાય છે.
ઈ-પશુ હાટના ફાયદા
- ઘર બેઠા ખરીદી-વેચાણ: ખેડૂતોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી.
- રાજ્યથી રાજ્ય વેપાર: એક રાજ્યના ખેડૂતો અન્ય રાજ્યના ખેડૂતો સાથે વેપાર કરી શકે છે.
- હોમ ડિલિવરી સુવિધા: ખરીદેલું પશુધન ઘેર પહોંચાડવાની વ્યવસ્થા છે.
- સંગઠિત બજાર: હાલના સમયમાં પશુધન માટે કોઈ સંગઠિત બજાર નથી, આ પોર્ટલ પહેલું સંગઠિત બજાર છે.
- પરિવહન સુવિધા: પશુધનને એક રાજ્યથી બીજા રાજ્યમાં સરળતાથી લઈ જવાની વ્યવસ્થા છે.
પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો
- વેબસાઇટ ખોલો: https://epashuhaat.gov.in/ પર જાઓ.
- લૉગિન અથવા રજીસ્ટ્રેશન:
- LOGIN બટન પર ક્લિક કરો.